હનુમાનજીની કૃપા જોઈએ તો હનુમાન જયંતિ પર ઘરે લાવો આ વસ્તુ, Hanuman Jayanti 2025 Hanuman Janmotsav

ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ, આ વર્ષે આ વ્રત ૧૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ છે. રામ નવમીના 5 દિવસ પછી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવાની પરંપરા છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. ભગવાન હનુમાનનો જન્મોત્સવ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની પૂજા અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. જો આ દિવસે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરવી સરળ બને છે. આવો તે ઉપાયો જાણી લઈએ.

૧. સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો :

હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ખૂબ જ પ્રિય છે. હનુમાન જયંતિના અવસર પર, તેમની મૂર્તિ પર સિંદૂર મિક્સ કરેલું ચમેલીનું તેલ ચઢાવવાથી બાધાઓ દૂર થાય છે અને હિંમત અને આત્મવિશ્વાસ વધે છે.

૨. રામ નામનો જાપ કરો :

હનુમાનજીને ભગવાન રામના અનન્ય ભક્ત માનવામાં આવે છે. આ દિવસે “શ્રી રામ જય રામ જય જય રામ” આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.

૩. બજરંગ બાણ અથવા સુંદરકાંડનો પાઠ કરો :

આ દિવસે બજરંગ બાણ અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી દુશ્મનોથી રક્ષણ મળે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ ઉપાય ખાસ કરીને સંકટમાં ફસાયેલા લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

૪. હનુમાન ચાલીસાનો પાઠ :

આ દિવસે સવારે સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટા સામે ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ૧૧ વાર કે ૧૦૮ વાર તેનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.

૫. વાંદરાઓને ભોજન ખવડાવો :

હનુમાનજીનું રૂપ વાનરનું હતું. તેથી, આ દિવસે વાંદરાઓને ગોળ, ચણા, કેળા અથવા અન્ય ફળો ખવડાવવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

હનુમાન જન્મોત્સવના દિવસે યોગ્ય વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને ભય, રોગ, દોષ અને સંકટમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. જો તમે આ દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લઈ આવો છો, તો તમને ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.

૧. સિંદૂર :

ધાર્મિક શાસ્ત્રો અનુસાર, હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે અને સિંદૂર ચઢાવ્યા વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, હનુમાન જયંતીના દિવસે ઘરમાં સિંદૂર લાવવું શુભ રહે છે.

૨. ભગવાન હનુમાનની મૂર્તિ :

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે હનુમાન જયંતીના દિવસે તમારા ઘરમાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લાવો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

૩. ધ્વજ :

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, હનુમાન જયંતીના દિવસે ઘરમાં ધ્વજ લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ પણ ધ્યાનમાં રાખો કે આ ધ્વજ ઘરની છત અથવા મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવો જોઈએ.

૪. કેસર :

જો તમે હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માંગતા હો, તો આ દિવસે તમારા ઘરમાં કેસર ચોક્કસ લાવો. આનાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.

ડિસ્ક્લેમર : આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. આ લેખને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.

#hanumanjayanti #hanumanjanmotsav #hanuman #bajrangbali

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top