જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે જેઠ માસના વદ પક્ષની એકાદશીની વ્રતકથા અને તેનો મહિમા જાણવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી છે.
યુધિષ્ઠિરે પૂછ્યું — વાસુદેવ! જેઠના કૃષ્ણપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું શું નામ છે? કૃપા કરીને તેનું વર્ણન કરશો.
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — નૃપશ્રેષ્ઠ! જેઠના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ‘યોગિની’ છે. એ મોટાં-મોટાં પાપોનો નાશ કરનારી છે. સંસારસાગરમાં ડૂબી રહેલાં પ્રાણીઓને માટે આ સનાતન નૌકાના સમાન છે. ત્રણે લોકોમાં આ સારભૂત વ્રત છે.
અલકાપુરીમાં રાજાધિરાજ કુબેર રહે છે. તેઓ સદા ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહેનારા છે. તેમને હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો, તે પૂજાને માટે ફૂલ લાવ્યા કરતો હતો. હેમમાલીની પત્ની ઘણી સુંદર હતી. તેનું નામ વિશાલાક્ષી હતું. તે યક્ષ કામપાશમાં બંધાઈ સદા પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો. એક દિવસની વાત છે. હેમમાલી માનસરોવરથી ફૂલ લાવી પોતાના ઘરમાં જ રોકાઈ ગયો અને પત્નીના પ્રેમનું રસાસ્વાદન કરવા લાગ્યો. તેથી કુબેરના ભવનમાં ન જઈ શક્યો.
આ બાજુ કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા. તેમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ. જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો તો યક્ષરાજે ગુસ્સે થઈ સેવકોને પૂછ્યું — યક્ષો! દુરાત્મા હેમમાલી કેમ નથી આવ્યો. આ વાતની તપાસ કરો.
યક્ષોએ કહ્યું — રાજન! તે તો પત્નીની કામનામાં આસક્ત થઈ પોતાની ઈચ્છા મુજબ ઘરમાં જ રમણ કરી રહ્યો છે.
તેમની વાત સાંભળી કુબેર ક્રોધમાં આવી ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો. વાર લાગી ગઈ એ જાણીને હેમમાલીનાં નેત્ર ભયથી વ્યાકુળ થઈ રહ્યાં હતાં. તે આવીને કુબેરની સામે ઊભો રહ્યો. તેને જોઈ કુબેરની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓ બોલ્યા – ઓ પાપી! ઓ દુષ્ટ! ઓ દુરાચારી! તેં ભગવાનનો તિરસ્કાર કર્યો છે, તેથી કોઢિયો બનીને તારી પ્રિયતમાથી અલગ થઈને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ બીજે ચાલ્યો જા.
કુબેરના આમ કહેવાથી તે પોતાના સ્થાનથી નીચે પડી ગયો. તે સમયે તેના દિલમાં ઘણું દુઃખ થઈ રહ્યું હતું. કોઢથી આખું શરીર પીડાતું હતું. પરંતુ શિવ-પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ લુપ્ત થઈ ન હતી. પાપથી દબાયેલી હોવા છતાં પણ તે પોતાનાં પૂર્વકર્મને યાદ રાખતો હતો. તે પછી આમતેમ ફરતો રહીને તે પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગિરિના શિખર પર ગયો. ત્યાં તેને તપસ્યાના પુંજ મુનિવર માર્કંડેયજીનું દર્શન થયું. પાપકર્મા યક્ષે દૂરથી જ મુનિનાં ચરણોમાં પ્રણામ કર્યા.
મુનિવર માર્કંડેયે તેને ભયથી કાંપતો જોઈને પરોપકારની ઈચ્છાથી નજીક બોલાવીને કહ્યું — તને કોઢના રોગે કેવી રીતે દબાવી લીધો? તું કેમ આટલો વધારે નિંદનીય દેખાય છે?
યક્ષ બોલ્યો — મુને! હું કુબેરનો અનુચર છું. મારું નામ હેમમાલી છે. હું દરરોજ માનસરોવરથી ફૂલ લાવી શિવ-પૂજાના સમયે કુબેરને આપ્યા કરતો હતો. એક દિવસ પત્ની-સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું; તેથી રાજાધિરાજ કુબેરે ગુસ્સે થઈ મને શાપ આપી દીધો, જેનાથી હું કોઢથી આક્રાન્ત થઈ પોતાની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો છું. મુનિશ્રેષ્ઠ! આ સમયે કોઈ શુભકર્મના પ્રભાવથી હું આપની નજીક આવી પહોંચ્યો છું. સંતોનું ચિત્ત સ્વાભાવિક જ પરોપકારમાં લાગ્યું રહે છે, એ જાણીને મને અપરાધીને કર્તવ્યનો ઉપદેશ આપશો.
માર્કંડેયજીએ કહ્યું — તેં અહીંયાં સાચી વાત કહી છે, જૂઠું બોલ્યો નથી; એટલા માટે હું તમને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ કરું છું. તું જેઠ માસના કૃષ્ણપક્ષમાં ‘યોગિની’ એકાદશીનું વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કોઢ નક્કી જ દૂર થઈ જશે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — ઋષિનાં આ વચનો સાંભળી હેમમાલી દંડની જેમ મુનિનાં ચરણોમાં પડી ગયો. મુનિએ તેને ઉઠાડયો, આનાથી તેને ઘણો હર્ષ થયો. માર્કંડેયજીના ઉપદેશથી તેણે યોગિની એકાદશીનું વ્રત કર્યું, જેનાથી તેના શરીરનો કોઢ દૂર થઈ ગયો. મુનિના કહેવા મુજબ તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તે પૂર્ણ સુખી થઈ ગયો. નૃપશ્રેષ્ઠ! આ યોગિનીનું વ્રત આવું જ બતાવવામાં આવ્યું છે. જે અઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તેના બરાબર જ ફળ તે મનુષ્યને પણ મળે છે, જે યોગિની એકાદશીનું વ્રત કરે છે. ‘યોગિની’ મહાન પાપોને શાંત કરનારી મહાન પુણ્ય-ફળ આપનારી છે. આને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે.
મિત્રો, અહીં જેઠ માસની યોગિની એકાદશીની વ્રતકથા અને તેનું માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.
#ekadashi #ekadashivratkatha #ekadashivrat
યોગિની એકાદશીની કથા, યોગિની એકાદશીનો મહિમા, યોગિની એકાદશી, યોગિની એકાદશી 2025, યોગિની એકાદશી ઉપવાસ, યોગિની એકાદશીનું માહાત્મ્ય, એકાદશીની કથા, એકાદશીનો મહિમા, યોગિની એકાદશીનું ફળ, યોગિની એકાદશીની વાર્તા, yogini ekadashi, yogini ekadashi ni katha, yogini ekadashi no mahima, yogini ekadashi katha, yogini ekadashi vrat katha, yogini ekadashi upvas, yogini ekadashi nu fal, ekadashi, ekadashi katha in gujarati, ekadashi vrat katha, ekadashi katha