સૂર્યગ્રહણ 29 માર્ચ 2025, જાણો ભારતમાં દેખાશે કે નહીં? મેળવો A ટુ Z માહિતી । Surya Grahan 2025

મિત્રો, વર્ષ 2025 નું પહેલું સૂર્યગ્રહણ તારીખ 29 માર્ચ 2025, શનિવારના રોજ છે. આ દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ પણ છે. આ દિવસે શનિદેવ પોતાની રાશિ બદલવાના છે. આજના આ લેખમાં આપણે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં? એ જાણીશું. અને સાથે સાથે સૂર્યગ્રહણ સાથે જોડાયેલી બીજી કેટલીક અગત્યની માહિતી પણ મેળવીશું. તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

જણાવી દઈએ કે વર્ષ 2025 નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે ફાગણ વદ અમાસના રોજ બપોરે 2 વાગીને 20 મિનિટથી સાંજે 6 વાગીને 16 મિનિટ સુધી થશે. આ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ હશે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ યુરોપ, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, ઉત્તર રશિયામાં દેખાશે. આ સૂર્ય ગ્રહણ આપણા ભારત દેશમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં અને તેની પૂજા પર કોઈ અસર થશે નહીં. મંદિરોના દરવાજા બંધ થશે નહીં અને 30 માર્ચથી શરૂ થતી નવરાત્રી પૂજાને પણ તેની કોઈ અસર થશે નહીં.

આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ અહીં અસરકારક રહેશે નહીં. આનો સીધો અર્થ એ છે કે આ ગ્રહણનો ભારત પર કોઈ આધ્યાત્મિક, ધાર્મિક કે સૂતક પ્રભાવ પડશે નહીં. આ સમયગાળા દરમિયાન, ભારતના લોકોની દિનચર્યા પહેલાની જેમ સામાન્ય રહેશે. શાસ્ત્રો અનુસાર, ગ્રહણની અસર ફક્ત તે વિસ્તારોમાં જ અનુભવાય છે જ્યાં તે જોઈ શકાય છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી ભારતીયો પર તેની કોઈ અસર થશે નહીં. તેમ છતાં સાવચેતી તરીકે કેટલીક વાતોનું ધ્યાન રાખી શકાય છે.

જે વિસ્તારોમાં આ ગ્રહણ દેખાવાનું છે, ત્યાં રહેતા હિન્દૂ લોકોએ પોતાના વિસ્તારના સમય પ્રમાણે સૂર્યગ્રહણનો સમય જાણી લેવો. તેમણે સુતકકાળ પાળવાનો રહેશે. આવો તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો જાણી લઈએ.

મિત્રો, જણાવી દઈએ કે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન કંઈપણ ખાવું જોઈએ નહીં. સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. એવું પણ કહેવાય છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી બધા પુણ્ય અને સારા કર્મોનો નાશ થાય છે.

હવે આપણે એ જાણીએ કે સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું?

1. ગ્રહણ દરમિયાન ધ્યાન કરો અને મંત્રોનો જાપ કરો.

2. ભગવાનનું સ્મરણ કરો.

3. સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ અને ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવો જોઈએ.

હવે એ જાણીએ કે સૂર્યગ્રહણ દરમિયાન શું ન કરવું?

1. નરી આંખે સૂર્યગ્રહણ ન જુઓ.

2. ગ્રહણ દરમિયાન ખોરાક ન ખાવો.

3. ઘરની બહાર જવાનું ટાળો, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ.

4. ગ્રહણ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો.

5. વૃક્ષો અને છોડને સ્પર્શ કરશો નહીં અને પાણીને સ્પર્શ કરશો નહીં.

હવે આપણે એ જાણીએ કે સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી શું કરવું?

1. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો.

2. આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને દેવી-દેવતાઓની મૂર્તિ અને ફોટાને સાફ કરો.

3. ગ્રહણ પછી હનુમાનજીની ઉપાસના કરો.

4. સૂર્યગ્રહણ પછી દાન કરો.

હવે એ જાણીએ કે આ ગ્રહણ કોના માટે શુભ છે અને કોના માટે અશુભ છે?

મિત્રો, દરેક ગ્રહણની વિવિધ રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક અસરો પડે છે. ભલે આ સૂર્યગ્રહણ ભારતમાં અસરકારક નહીં હોય, પણ જ્યોતિષીઓ
ના મતે તે ચોક્કસપણે રાશિચક્ર પર અસર કરશે. મેષ, મિથુન, મીન અને વૃષભ રાશિ માટે આ ગ્રહણ અશુભ છે. આ રાશિના લોકોએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરિવારમાં મુશ્કેલીઓ આવી શકે છે અને લોકોનો પ્રેમ તેમનાથી દૂર થઈ શકે છે.

આ ગ્રહણ સિંહ, તુલા, ધનુ અને કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. આ લોકોને સૂર્ય દેવના આશીર્વાદ મળશે, તેમને પદ, માન, પૈસા અને પ્રેમ મળશે. તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે પણ ઉકેલાઈ જશે, એકંદરે આ રાશિના લોકો માટે સારો સમય શરૂ થવાનો છે.

ચાલો હવે સૂર્યગ્રહણ દરમિયાન તુલસી સંબંધિત કેટલાક નિયમો જાણી લઈએ.

પહેલા એ જાણીએ કે તુલસી કેમ આટલી મહત્વપૂર્ણ છે?

આપણા હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગ્રહણના સમયગાળા દરમિયાન, જ્યારે સૂતક કાળ શરૂ થાય છે, ત્યારે વાતાવરણમાં નકારાત્મક શક્તિઓનો પ્રવાહ ખૂબ જ વધી જાય છે. તેના પ્રભાવથી કેટલીક વસ્તુઓ અશુદ્ધ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ગ્રહણ દરમિયાન તેના પાંદડા ખોરાકમાં ઉમેરવાથી ગ્રહણની કોઈ નકારાત્મક અસર થતી નથી. આ જ કારણ છે કે ગ્રહણ દરમિયાન તુલસીનું ખૂબ મહત્વ છે. આ સિવાય દર્ભનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણ દરમિયાન ખાવા-પીવાની મનાઈ છે. આવી સ્થિતિમાં, જો ગ્રહણ દરમિયાન ખોરાકમાં તુલસીના પાન ઉમેરવામાં આવે તો ગ્રહણની અસર ઓછી થઈ શકે છે અને ખોરાક પણ અશુદ્ધ થતો નથી. જોકે ગ્રહણ પહેલા રાંધેલો ખોરાક પૂર્ણ કરી દેવાનો નિયમ છે. એ સિવાયની ખાવાની વસ્તુઓ જેવી કે અનાજ, કઠોળ, દૂધ, દહીં, છાસ કે અન્ય વસ્તુઓ જે રાંધવાની બાકી હોય તેમાં દર્ભ કે તુલસી મુકવામાં આવે છે જેથી ગ્રહણ પૂરું થયા પછી આ ખોરાક ખાઈ શકાય.

આ વખતે સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આ દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી ન ચઢાવો અને તુલસીના પાન તોડશો નહીં. આનાથી તમને જીવનમાં નકારાત્મક પરિણામો મળી શકે છે. તમે ખોરાક વગેરેમાં ઉપયોગ કરવા માટે એક દિવસ પહેલા તુલસીના પાન તોડી શકો છો.

નોંધ : આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી.

#suryagrahan #grahan #jyotish

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top